ખેરગામમાં મહોરમના પર્વે કોમી એકતા સાથે ભવ્ય તાજીયા ઝુલૂસ. ઇસ્લામ ધર્મના પવિત્ર મહોરમ પર્વની ખેરગામમાં ઉજવણી કોમી એકતાના રંગે રંગાઈ હતી. કરબલાના મેદાનમાં હઝરત ઈમામ હુસેન અને તેમના 72 સાથીઓના શહીદોના ત્યાગની યાદમાં યોજાતા આ પર્વ નિમિત્તે રવિવારે ખેરગામમાં ભવ્ય તાજીયા ઝુલૂસ શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવ્યું. મુસ્લિમ મહોલ્લામાંથી શરૂ થયેલું આ ઝુલૂસ ચારરસ્તા, મેઈન બજાર અને પોસ્ટ ઓફિસ માર્ગે આગળ વધી અને મસ્જિદ તેમજ મુસ્લિમ મહોલ્લામાં વિસર્જન માટે સમાપ્ત થયું. ત્યારબાદ ઔરંગા નદી ખાતે તાજીયાઓને ટાઢા કરવામાં આવ્યા. ઝુલૂસ પૂર્વે રાત્રે કલાત્મક રીતે શણગારેલ તાજીયાનું પાયલોટ ઝુલૂસ પણ નીકળ્યું હતું. હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું. હિન્દુ સમાજના આગેવાનો જેવા કે સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ, વેપારી અગ્રણી શ્રી પંકજભાઈ મોદી, શ્રી અંકુર શુક્લ, ભાજપ મહામંત્રી શ્રી વિજય રાઠોડે મુસ્લિમ આગેવાનો જેવા કે માજી મુતવલી ઝમીરભાઈ શેખ, અઝીઝભાઈ ક્વોરીવાળા, શોએબભાઈ શેખ, ફારૂકભાઈ શેખ, મુતવલ્લી ગુલામભાઈ શેખ અને મોઈન મોટરવાળાનું ફૂલહારથી ઉષ્મ...
ગણદેવી : ગણદેવી તાલુકાના વાઘરેચ ખાતે આવેલ કાવેરી નદી પર ટાઈડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ કામગીરીની ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા સમીક્ષા.
ગણદેવી : ગણદેવી તાલુકાના વાઘરેચ ખાતે આવેલ કાવેરી નદી પર ટાઈડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ કામગીરીની ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા સમીક્ષા.
ગણદેવી તાલુકાના વાઘરેચ ખાતે આવેલ કાવેરી નદી પર રૂ. 250 કરોડના ખર્ચે ટાઈડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ થકી બીલીમોરા શહેર અને ગણદેવી તાલુકાના ગામોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
આ વર્ષના ચોમાસાની શરૂઆત થતાં જ ડેમ ઓવરફ્લો થતાં સાઈટની સ્થળ મુલાકાત લઇ, કામગીરીની સમીક્ષા કરી, યોગ્ય સૂચનો આપ્યાં.
ગણદેવી તાલુકાના વાઘરેચ ખાતે આવેલ કાવેરી નદી પર રૂ. 250 કરોડના ખર્ચે ટાઈડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું...
Posted by Naresh Patel on Saturday, July 6, 2024
Comments
Post a Comment