ખેરગામમાં મહોરમના પર્વે કોમી એકતા સાથે ભવ્ય તાજીયા ઝુલૂસ. ઇસ્લામ ધર્મના પવિત્ર મહોરમ પર્વની ખેરગામમાં ઉજવણી કોમી એકતાના રંગે રંગાઈ હતી. કરબલાના મેદાનમાં હઝરત ઈમામ હુસેન અને તેમના 72 સાથીઓના શહીદોના ત્યાગની યાદમાં યોજાતા આ પર્વ નિમિત્તે રવિવારે ખેરગામમાં ભવ્ય તાજીયા ઝુલૂસ શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવ્યું. મુસ્લિમ મહોલ્લામાંથી શરૂ થયેલું આ ઝુલૂસ ચારરસ્તા, મેઈન બજાર અને પોસ્ટ ઓફિસ માર્ગે આગળ વધી અને મસ્જિદ તેમજ મુસ્લિમ મહોલ્લામાં વિસર્જન માટે સમાપ્ત થયું. ત્યારબાદ ઔરંગા નદી ખાતે તાજીયાઓને ટાઢા કરવામાં આવ્યા. ઝુલૂસ પૂર્વે રાત્રે કલાત્મક રીતે શણગારેલ તાજીયાનું પાયલોટ ઝુલૂસ પણ નીકળ્યું હતું. હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું. હિન્દુ સમાજના આગેવાનો જેવા કે સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ, વેપારી અગ્રણી શ્રી પંકજભાઈ મોદી, શ્રી અંકુર શુક્લ, ભાજપ મહામંત્રી શ્રી વિજય રાઠોડે મુસ્લિમ આગેવાનો જેવા કે માજી મુતવલી ઝમીરભાઈ શેખ, અઝીઝભાઈ ક્વોરીવાળા, શોએબભાઈ શેખ, ફારૂકભાઈ શેખ, મુતવલ્લી ગુલામભાઈ શેખ અને મોઈન મોટરવાળાનું ફૂલહારથી ઉષ્મ...
ચીખલી તાલુકાના ઘેજ ગામના નાના ડુંભારીયા,જલારામ ફળિયા ખાતે ગ્રામજનો દ્વારા નવનિર્માણ કરવામાં આવી રહેલા શ્રી રામજી,શ્રી શિવજી અને શ્રી જલારામ બાપાના સંયુક્ત મંદિરસ્થળની મુલાકાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ
ચીખલી તાલુકાના ઘેજ ગામના નાના ડુંભારીયા,જલારામ ફળિયા ખાતે ગ્રામજનો દ્વારા નવનિર્માણ કરવામાં આવી રહેલા શ્રી રામજી,શ્રી શિવજી અને શ્રી જલારામ બાપાના સંયુક્ત મંદિરસ્થળની મુલાકાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ
આજરોજ ચીખલી તાલુકાના ઘેજ ગામે નાના ડુંભારીયા, જલારામ ફળિયા ખાતે ગ્રામજનો દ્વારા નવનિર્માણ કરવામાં આવી રહેલા શ્રી રામજી,...
Posted by Naresh Patel on Wednesday, June 19, 2024
Comments
Post a Comment